કૃષિ વાર્તાલાઈવ હિન્દુસ્તાન
ખુશખબર ! DAP અને NPK ના ભાવમાં નહીં થાય વધારો !
ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) એ ખેડુતો માટે ખુશખબર આપતા કહ્યું છે કે, તે ખેડૂતોના મોટા હિતમાં રવિ પાક દરમિયાન ડીએપી અને એનપીકે ખાતરોના મહત્તમ ભાવમાં વધારો કરશે નહીં.
ઇફ્કોનાં મેનેજિંગ ડિરેક્ટર ઉદય શંકર અવસ્થીએ સોમવારે ટિ્વટ કર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યોજના પ્રમાણે અમારું લક્ષ્ય કૃષિ ખર્ચ ઘટાડવાનો છે.
તેમણે કહ્યું કે વડા પ્રધાન વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માગે છે. નોંધનીય છે કે ગયા વર્ષે ઇફ્કોએ ડીએપીની કિંમતમાં ઘટાડો કર્યો હતો.
સંદર્ભ : લાઈવ હિન્દુસ્તાન,
આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.