AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખરીફ પાક માટે ટેકાના ભાવની જાહેરાત
સમાચારએગ્રોસ્ટાર
ખરીફ પાક માટે ટેકાના ભાવની જાહેરાત
👉ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગ ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી હતી. કૃષિમંત્રીએ જણાવ્યુ હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરાયું છે. 👉આ બેઠકમાં ટેકાના ભાવે ખરીદી અંગે કરવામાં આવેલા આયોજનની માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યુ હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકને ટેકાના ભાવે 21 ઓક્ટોબરથી ખરીદવામાં આવશે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે 160, મગ માટે 73, અડદ માટે 105 અને સોયાબીન માટે 97 ખરીદ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ચાલુ સિઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી 6364.24 કરોડ રુપિયા મૂલ્યની 9.98 લાખ મેટ્રિક ટન મગફળી અને 420 કરોડ રુપિયે 91,343 મેટ્રિક ટન સોયાબીન ખરીદવાનું આયોજન છે. 👉ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા અનુરોધ કરતા કૃષિમંત્રીએ ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ 26 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ઈ-સમૃદ્ધ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનનની ખેડીતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. તેના માટે રાજ્ય સરકાર તરફથી આગોતરુ આયોજન પણ કરવામાં આવ્યુ છે. 👉નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ 2023-24 માટે ખરીફ પાકના વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતાં. જે અનુસાર, મગફળીનો ટેકાનો ભાવ 6377 રુપિયા પ્રતિ ક્વિ., મગનો 8558 રુપિયા પ્રતિ ક્વિ., અડદનો 6950 પ્રતિ ક્વિ. અને સોયાબીનનો 4600 રુપિયા પ્રતિ ક્વિ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
11
1
અન્ય લેખો