સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કેળ પાકમાં ખાતર વ્યવસ્થાપન !
➡️ કોઈ પણ પાક માં યોગ્ય ખાતર વ્યવસ્થાપનની જરૂર પડે છે અને યોગ્ય વ્યવસ્થાપન કરવાથી પાક ઉત્પાદન ગુણવત્તા યુક્ત મળે છે.
➡️ જમીનની ફળદ્રુપતા મુજબ, છોડ દીઠ 300 ગ્રામ નાઇટ્રોજન, 100 ગ્રામ ફોસ્ફરસ અને 300 ગ્રામ પોટાશની જરૂર પડે છે, ફોસ્ફરસનો અડધો જથ્થો વાવેતર સમયે અને બાકીનો અડધો જથ્થો રોપણી પછી આપવો જોઈએ.
➡️ નાઇટ્રોજન નો પૂરો જથ્થો 5 ભાગ માં વહેંચીને ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, ફેબ્રુઆરીમાં અને એપ્રિલ માં આપવો જોઈએ.
➡️ પોટાશનો સંપૂર્ણ જથ્થો ત્રણ ભાગોમાં વહેંચવી અને સપ્ટેમ્બર, ઓક્ટોબર અને એપ્રિલમાં આપવો જરૂરી છે.
➡️ આ ઉપરાંત, કેળાના પાકમાં દ્રાવ્ય ખાતરોનો ઉપયોગ પણ પાક માટે ખુબ જ ફાયદાકારક છે. આ માટે, એનપીકે 19:19:19 @75 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ..
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.