એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કેળની ગાંઠનું ચાંચવું !
👉 છેલ્લા દસેક વર્ષથી આ જીવાતનો ઉપદ્રવ વધતો જણાય છે.
👉 માદા કિટક થડમાં જમીનથી સહેજ ઉપર ઇંડા મૂંકે છે અને તેમાંથી નીકળતી ઇયળ કેળની ગાંઠમાં બોગદા બનાવી કોરી ખાઇ નુકસાન કરતી હોય છે.
👉 ઉપદ્રવિત છોડના પાન ફિક્કા પીળા રંગના થઇ સહેલાઇથી ખેંચાઇ આવે છે. ગાંઠનો વિકાસ અટકે છે.
👉 પાછલી અવસ્થાએ ઉપદ્રવ રહે તો પાનની સંખ્યાં ઘટે અને લૂમ નાની રહે છે અને ફળની સંખ્યાં ઓછી રહે છે.
👉 ઉપદ્રવિત ગાંઠોનો વાવેતરમાં ઉપયોગ લેવો નહિ.
👉 કેળની વાડી ચોખ્ખી રાખવી.
👉 કેળ કાપતી વખતે થડને જમીનની સપાટીએથી કાપવું. કાપેલા થડને માટીથી ઢાંકી દેવું.
👉 કેળના નકામા ભાગનો નાશ કરવો કે જેથી તેમાં પુખ્ત કિટક ભરાઇ ન રહે.
👉 રોપાણ માટે પસંદ કરેલ ગાંઠોને ગરમ પાણીમાં ૫ થી ૧૦ મિનિટ ડૂબાડી રાખવા.
👉 ગાંઠોને રોપતા પહેલા બહારની સપાટી સાફ કરી, ૩ થી ૪ દિવસ સૂર્યના તાપમાં તપાવી, છાણ અને રાખની રબડીમાં ડૂબાડવી.
👉 ગાંઠોને રોપતા પહેલા કોઇ પણ રાસાયણિક દવા તેની ભલામણ માત્રામાં દ્રાવણ બનાવી તેમાં ૫ થી ૧૦ મિનિટ બોળી રાખવી.
👉 કાર્બોફ્યુરાન ૩ જી દાણાદાર દવા ૫ થી ૧૦ ગ્રામ પ્રમાણે રોપવા માટેના કરેલ ખાડામાં આપવી.
👉 શક્ય હોય ત્યાં સુધી ટીસ્યુ કલ્ચર પધ્ધતિથી તૈયાર કરેલ રોપા રોપવા.
👉 કેળની રોબસ્ટા જાતમાં આ જીવાતનો ઉપદ્રવ વધારે રહેતો હોવાથી તેને પસંદ કરવી નહિ.
👉 રોપણી વખતે દિવેલી કે લીમડાના ખોળનો એક સેન્દ્રીય ખાતર તરીકે ઉપયોગ કરવો. આશરે ૫૦ ગ્રામ જેટલો ખોળ કેળ રોપવા માટે કરેલ ખાડામાં નાંખવો.
👉 એન્ટોમોપેથોજેનીક નેમાડોડ્સ (ઇપીએન) જો ઉપલબ્ધ થાય તો કેળ રોપવા માટે કરેલ ખાડામાં આપવું.
👉 આ જીવાતના ફેરોમોન ટ્રેપ્સ (કોસ્મોલુર) પણ ઉપલબ્ધ છે તો હેક્ટરે ૫ પ્રમાણે ગોઠવવા.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.