AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેળના પાકમાં સીગાટોકા રોગનો પ્રશ્ન અને નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કેળના પાકમાં સીગાટોકા રોગનો પ્રશ્ન અને નિયંત્રણ
👉કેળાના પાકમાં સીગાટોકા લીફ સ્પોટ રોગ , જેને પાનના ત્રાકીયા ટપકાનો રોગ તરીકે ઓળખવામાં આવે છે, મોટેભાગે ભેજવાળું, હુંફાળું અને વરસાદવાળું વાતાવરણ આ રોગ માટે અનુકૂળ રહે છે. આ રોગની અસર થવાના કારણે કેળાના છોડની વૃદ્ધિ નબળી પડે છે, અને લુમ નાની રહે છે. લુમમાં કેળાની આકાર અને ફળોની સંખ્યા ઓછી થઈ જાય છે. આ રોગથી કાચા કેળા પાકી જવાના વિકાર પણ જોવા મળે છે, જેની અસર પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર થાય છે. 👉આ રોગથી છોડને બચાવવા માટે, અસરગ્રસ્ત પાંદડાં તરત કાપીને ખેતરની બહાર સળગાવી દેવાં જોઈએ. ચોમાસામાં ખેતરમાં વધુ પાણી ભરાઈ રહેતી સ્થિતિમાં યોગ્ય પાણીની નિકાલ વ્યવસ્થા કરવી જરૂરી છે, અને ખેતરને નીંદણ મુક્ત રાખવું જોઈએ. 👉રાસાયણિક નિયંત્રણ માટે એગ્રોસ્ટાર પનાકા (મેન્કોઝેબ 75% ડબલ્યુપી ટેકનીકલ ધરાવતી દવા) @ 600 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે છંટકાવ કરવો જોઈએ, જે આ રોગના નિયંત્રણમાં મદદ કરે છે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
7
0