સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
કેરી ખરવાના કારણો અને તેનું નિવારણ !
👉 કેરી ખરી પડવાના કારણો વધુ પ્રમાણમાં ફળો બેસવાના કારણે દરેક ફળને પોષણ પુરૂ પડતું ન હોવાથી ફળ ખરી પડતાં હોય છે.
👉 પ્રતિકૂળ વાતાવરણને કારણે રોગ - જીવાતનો ઉપદ્રવ વધે ત્યારે ફળ ખરણ વધારે જોવા મળે છે.
👉 ફળ વિકાસના બધા જ તબકકાઓ પૈકી નાનાં ફળના તબકકામાં વધારે પ્રમાણમાં ખરણ જોવા મળે છે.
👉 પોષક તત્વોની ઉણપને કારણે.
👉 વધુ પડતા પવનના કારણે.
👉 ઓછા પાણી અથવા ભેજનું પ્રમાણ ઘટવાથી.
👉 જમીનમાં ઉડી ખેડના કારણે મૂળ તુટવાથી.
👉 વધુ પડતાં નીંદણને કારણે.
👉 અચોકકસ પરાગનયન અને ફલીનિકરણને કારણે.
👉 મોર અવસ્થાએ વધુ પડતી કિટનાશક દવાઓ છાંટવાથી, વાતાવરણમાં અચાનક ફેરફાર થવાથી જેવાકે તાપમાન, ભેજ અને પવન.
👉 ફળો ખરતા અટકાવવા માટેના જરૂરી ઉપાયો :
👉 આંબાવાડીયામાં મધમાખી ઉછેર ,
👉 પરાગસિંચક ઝાડનો સમાવેશ જેમકે આંબાની એક જ જાતને બદલે એક કરતાં વધારે જાતો વાવવી.
👉 મોર આવ્યા પહેલાં ૧૦ થી ૧૫ દિવસના સમયાંતરે જીવામૃત ના બે વખત છંટકાવ કરવા.
👉 કેરી જયારે વટાણા જેવડી થાય ત્યારે વર્મીવોશ અથવા જીવામૃતનો છંટકાવ કરવો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.