યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
કૃષિ ઉત્પાદનોનું પ્લેન દ્વારા કરી શકાશે પરિવહન
✈️કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓ હેઠળ ખેડૂતોને સબસિડી અને લોન જેવી સુવિધાઓ આપવામાં આવે છે. ખેડૂતોનો પાક જો બરબાદ થાય તો મોટું નુકસાન થાય છે.ખેડૂતોની આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન ઉડાન યોજના શરૂ કરવામાં આવી છે.
✈️50 થી વધારે એરપોર્ટને કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે જોડવામાં આવ્યા
પીએમ કિસાન ઉડાન યોજના હેઠળ ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોની દેશ-વિદેશમાં નિકાસ કરી શકે છે. તેના માટે ખેડૂતો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. પરિવહન માટેના મોટાભાગના કામ કરમુક્ત બને છે. આ યોજના કિસાન રેલ યોજનાની જેમ કામ કરે છે. ફળ, શાકભાજી, દૂધ અને અન્ય કૃષિ ઉત્પાદનો સમગ્ર દેશમાં ટ્રેન પરિવહન દ્વારા સપ્લાય કરવામાં આવે છે. કૃષિ ઉડાન યોજના હેઠળ, દેશના 50 થી વધારે એરપોર્ટને કૃષિ ઉત્પાદનોના હવાઈ પરિવહન માટે જોડવામાં આવ્યા છે.
✈️પ્લેન દ્વારા ઉત્પાદનોનું ઝડપથી થાય છે પરિવહન
PM કિસાન ઉડાન યોજના હેઠળ, દેશ-વિદેશમાં ફૂલ, ફળ, શાકભાજી, ડેરી સહિત ટૂંકા ગાળાના કૃષિ ઉત્પાદનોની નિકાસ કરવા માટે અનુકૂળ વ્યવસ્થા છે. પ્લેન દ્વારા ઉત્પાદનોનું ઝડપથી પરિવહન થાય છે, જેથી ઉત્પાદનો સમયસર પહોંચાડી શકાય અને ખેડૂતોને સારા ભાવ પણ મળી શકે. કોઈપણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. વર્ષ 2020 થી આ યોજના હેઠળ 53 થી વધારે એરપોર્ટ ઉમેરવામાં આવ્યા છે.
✈️હવાઈ નિકાસ પર કોઈ ખર્ચ આવશે નહીં
કૃષિ ઉડાન યોજના હેઠળ 8 મંત્રાલયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, પશુપાલન અને ડેરી વિભાગ, મત્સ્યોદ્યોગ વિભાગ, ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય, વાણિજ્ય વિભાગ, આદિજાતિ બાબતોનું મંત્રાલય અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલયનો સમાવેશ થાય છે.
✈️આ યોજના હેઠળ ખેડૂતોને એક જગ્યાએથી બીજી જગ્યાએ કૃષિ ઉત્પાદનો મોકલવા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી. આ યોજના હેઠળ અરજી કરવા પર, ખેડૂતોને લેન્ડિંગ, પાર્કિંગ, ટર્મિનલ નેવિગેશન લેન્ડિંગ ચાર્જિસ અને રૂટ નેવિગેશન ફેસિલિટી ચાર્જિસ માંથી મુક્તિ આપવામાં આવે છે.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!