સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કારેલાના પાક માટે મંડપ પદ્ધતિના ફાયદા
• કારેલા વેલાવર્ગના (કુકર્બિટેસી) પાક છે. મંડપ બાંધવાની પદ્ધતિ વેલાના યોગ્ય વિકાસમાં મદદ કરે છે. મંડપ પદ્ધતિની સરખામીએ અન્ય પદ્ધતિમાં જમીન પર નવા કોઇ અંકુર ફૂટતાં નથી. વેલાનો વિકાસ કારેલાના ફળના ઉત્પાદનને પણ અસર કરે છે અને માત્ર 3 થી 4 મહિના માટે જ તેનો વિકાસ થાય છે. મંડપ રોપવાની આ પદ્ધતિ 6 થી 7 મહિના સુધીનો ઉત્તમ વિકાસ પ્રદાન કરે છે.
• મંડપ રોપણની પદ્ધતિ જમીનથી ઉપર એટલે કે જમીનના લેવલથી 4 થી 6 ફૂટ ઉપર વેલા નો ઉત્તમ વિકાસ કરે છે. આ વેલાઓ રોગ જીવાત મુક્ત હોય છે.
• મંડપ રોપણની પદ્ધતિ કારેલાના યોગ્ય વિકાસમાં મદદરૂપ બને છે અને સૂર્યપ્રકાશ અને પૂરતી હવા મળવાને કારણે ફળનો રંગ લીલો રહે છે.
• લણણી અને આંતરિકઉછેર(સંવર્ધન)ની પ્રક્રિયા સરળ બને છે.
• કોથમરી, મેથી અને બીજા ઓછા સમયગાળાના પાક સરળતાથી વાવી શકાય છે.
સ્ત્રોત- એગ્રોસ્ટાર એગ્રોનોમી શ્રેષ્ઠતા કેન્દ્ર
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો