AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં પાન લાલ થવાની સમસ્યા અને ઉપાય
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં પાન લાલ થવાની સમસ્યા અને ઉપાય
કપાસ લાલ થઇ સુકાઇ જવાના પ્રશ્નો ખેડૂતો ને મુંજવતા હોય છે. મોટેભાગે કપાસ બે કારણોની લાલ થવા માંડે છે. પ્રથમ તડતડિયા જીવાત સામે સંતોષકારક પગલાં ન લેવાયા હોય તો પાન લાલ થઇ બરછટ થઇને સુકાઇ જાય છે. બીજુ કારણ છોડની દેહધાર્મિક ક્રિયામાં વિક્ષેપ અને વાતાવરણ તેમ જ મુખ્ય/ સૂક્ષ્મ તત્વોની ઉણપ. જીંડવા અવસ્થાએ જો રાત્રીનો તાપમાન ૨૧૦ સે.ગ્રે.થી ઓછું થાય તો પાન લાલ થવાની પ્રક્રિયા શરુ થઇ જતી હોય છે. ક્યા કારણોથી પાન લાલ થયા છે તે જાણવા માટે લાલ થયેલ પાનને હાથમાં લઇ મુઠ્ઠી વાળો અને પછી મુઠ્ઠી છોડી દો. હથેળીમાં જો પાનના ટુકડા-ટુકડા થઇ ભૂક્કા જેવુ થઇ જાય તો સમજવું કે પાન લાલ થવાનું કારણ તડતડિયાના નુકસાનને લીધે થયેલ છે, તેના માટે સમસસર આ જીવાતનું નિયંત્રણ કરવામાં થોડા મોડા પડ્યા છો તેમ કહી શકાય. હથેળી ખોલતા જો પાન હતું એવું સપાટ દેખાય અને તેના ટુકડાં થયા નથી તો સમજવું કે પાન ઉપર દર્શાવેલ કારણોથી થયા છે. શરુઆતમાં પાનની કિનારી પીળી પડે છે અને ત્યારબાદ પાનની આતંરનશો વચ્ચેની જગ્યા લાલ રંગમાં ફેરવાઇ જાય છે અને છેવટે પાન ખરી પડતા હોય છે. તડતડિયા જીવાત ખેડૂતો દવાનો ઉપયોગ કરી પ્રથમ કારણ નિવારી લે છે જ્યારે બીજા કારણ માટે કેટલાક જૂદા પગલાં ભરવા ખેડૂતો માટે જરુરી બને છે. એક વાર પાન લાલ થઇ ગયા પછી ફરી લીલા થઇ શક્તા નથી.
નિવારણના ઉપાયો:_x000D_ _x000D_ • ચૂસિયાં પ્રકારની જીવાતોમાં ખાસ કરીને તડતડિયા માટે સમયસર યોગ્ય દવાનો છંટકાવ કરતા રહીને તેન કાબૂમાં રાખવા._x000D_ • છોડને પૂરતો નાઈટ્રોજન મળી રહે તે માટે સમયસર પૂર્તિ ખાતર જમીનમાં આપવું અથવા ૧ થી ૧.૫ ટકાનો યુરિયાના ૨ થી ૩ છંટકાવ દર ૧૦ દિવસના ગાળે કરવા. યુરિયાની જગ્યાએ ડીએપી ૨ ટકાનું છંટકાવ પણ કરી શકાય._x000D_ • સૂક્ષ્મ તત્વો અને તેમાં ખાસ કરીને મેગ્નેશિયમની ઉણપ નિવારવા માટે મેગ્નેશિયમ ૨૦ થી ૨૫ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે દ્રાવણનો છંટકાવ અઠવાડિયે એક વાર અવશ્ય કરવું._x000D_ • જમીનમાં ભેજની ઉણપ વર્તાય કે તરત જ એક પિયત આપવું. _x000D_ • પિયત આપતી વખતે એક જગ્યાએ પાણીનો ભરાવો ન થઇ જાય તેની કાળજી રાખવી. પાણીનો ભરાવો થવાથી મેગ્નેશિયમ કે અન્ય તત્વો છોડ માટે અલભ્ય બને છે. _x000D_ • જરુર જણાય તો એસ્કોર્બીક એસીડ ૫૦૦ પીપીએમ + પીએમએ ૧૦ પીપીએમના દરે છંટકાવ કરવો._x000D_ • દર વર્ષે આ સમસ્યા આવતી હોય તો આવતા વર્ષે કપાસની વાવણી કરતી વખતે અન્ય ખાતરોની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ ૨૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે અવશ્ય આપવું._x000D_ • ખેડૂતોને સલાહ છે કે એક વાર જમીનની ચકાસણી જમીન ચકાસણી પ્રયોગશાળામાં અવશ્ય કરાવી લેવી કે જેથી જમીનમાં કયા પોષક તત્વોની ઉણપ છે અને તે પ્રમાણે યોગ્ય પગલાં લઇ શકાય. _x000D_ _x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ_x000D_ _x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો._x000D_
440
5
અન્ય લેખો