ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કપાસમાં ઉગસુકનો રોગ નું નિયંત્રણ!
🌱જમીનમાં રહેલી વિવિધ પ્રકારની ફુગ અને જીવાણુંને કારણે કપાસમાં ધરૂ મૃત્યુ નો રોગ થાય છે.
🌱બીજ ઉગ્યા પછી આ રોગ જોવા મળે છે.
🌱થડનાં જમીન પાસેનાં ભાગ પર બદામી, પાણી પોચા ડાઘ દેખાય છે.
🌱રોગની તીવ્રતા વધતા છોડ કોહવાઈને ચીમળાઈ ને સુકાય જાય છે.
🌱આ રોગ ના નિયંત્રણ માટે મેટાલિકઝેલ 8% ડબ્લ્યુ પી +મેન્કોઝેબ 64% ઘટક ધરાવતી એગ્રોસ્ટાર મેટલ ગ્રો 40 ગ્રામ પ્રતિ પંપ તથા મૂળના સારા વિકાસ માટે હ્યુમિક પાવર એનએક્સ 15 ગ્રામ/પ્રતિ પ્રમાણે દ્રેન્ચિંગ કરવું.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!