સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસનો સંગ્રહ કરવો કે નહિ?
➡️ વધારે ભાવ મળવાની આશાએ ખેડૂતો કપાસનો સંગ્રહ કરી રાખતા હોય છે, આ સારી વાત છે.
➡️ પરંતું ક્યારે ક તેના વિપરિત પરિણામ પણ મળી શકે છે. જેમ કે આપના વિસ્તારમાં ગુલાબી ઇયળનો પ્રકોપ વધારે પડતો હોય અને આપણે સંગ્રહ કરી રાખીએ તો આ ઇયળનો જીવનચક્ર ચાલુ રહે છે.
➡️તેથી જ ખેતરમાં બનાવેલ ઓરડામાં સંગ્રહ ન કરતા તેને ઘરના કોઠારમાં સંગ્રહ કરવું હિતાવહ છે અને સાથે સાથે બંધ ઓરડામાં એકાદ ગુલાબી ઇયળના ફૂંદાને પકડવા માટે ફિરોમોન ટ્રેપ પણ ગોઠવી દેવું.
➡️સંગ્રહ કરેલ કપાસમાં ગુલાબી ઇયળનું નુકસાન સતત વધતું હોય છે જે વિણેલ કપાસની ગુણવત્તા ઉપર માઠી અસર થતી હોય છે. હિતાવહ એ છે કે સારા ભાવ મળતા હોય તો વેચાણ જ આગળ પડે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.