AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઓછી મહેનતે વધુ કમાણી, આ ખેતી ખુબ છે નિરાલી !
નઈ ખેતી, નયા કિસાનzee news
ઓછી મહેનતે વધુ કમાણી, આ ખેતી ખુબ છે નિરાલી !
તમે કાળા રંગના શિંગોડા (CHESTNUT) તો ખાધા હશે ? આ શિંગોડાને અસલમાં લોકો બાફી લે અથવા તો તેને શેકીને વેચે છે. પરંતુ શું તમને લીલા શિંગોડા વિશે કોઈ માહિતી છે. શિંગોડાની ખેતી કરી તમે સારો નફો કમાઈ શકો છો. તળાવમાં ઉગતા શિંગોડાના પાકને માટીના ખેતરોમાં અદ્યતન ખેતીની રીતથી ઉગાવી લોકો સારો નફો કમાઈ શકે છે. નીચાણવાળા ખેતરોમાં પાણીનો ભરાવો કરી શિંગોડાની ખેતી કરવામાં આવે છે. પાણીને કારણે શિંગોડાના પાકને રખડતા ઢોર દ્વારા નુકસાન થવાનો ખતરો પણ ઓછો રહે છે. શિંગોડા જૂનથી ડિસેમ્બરના મધ્યનો પાક છે. તેની ખેતી માટે આશરે 1થી 2 ફુટ પાણીની જરૂર રહે છે. નીચાણવાળા ખેતરોમાં પાણીનો ભરાવો કરીને શિંગોડાના પાકને સરળતાથી ઉગાવી શકાય છે. જૂનમાં પાકની વાવણી કરવામાં આવે છે. સિંગોડાની પહેલી ઉપજ સપ્ટેમ્બર મહિનામાં મળી રહે છે. 1) શિંગોડાની વાવણીનો યોગ્ય સમય- ચોમાસાના વરસાદી માહોલ સાથે જ શિંગોડાની વાવણી શરૂ થઈ જાય છે. વરસાદની ઋતુ શરૂ થતા જૂન-જુલાઈમાં શિંગોડાની ખેતી કરવામાં આવે છે. મોટાભાગે નાના તળાવોમાં શિંગોડાના બીજની વાવણી કરવામાં આવે છે. જો કે માટીના ખેતરમાં ખાડા પાડ્યા બાદ તેમા પાણી ભરી તેમાં વાવણી કરવામાં આવે છે. જૂનથી ડિસેમ્બર એટલે કે 6 મહિનાના શિંગોડાના પાકથી સારો નફો કમાઈ શકાય છે. 2) 1-2 ફુટ પાણીમાં થાય છે શિંગોડાની ખેતી- ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લાના નંદી ફિરોઝપુર ગામમાં રહેતા એક ખેડૂત સેઠપાલ સિંહનું કહેવું છે કે શિંગોડાની ખેતી તેવા સ્થળે થાય છે જ્યાં કમ સે કમ 1-2 ફુટ પાણી જમા થયેલું હોય છે. ખેડૂતે વધુમાં કહ્યું કે તેમણે તળાવની જગ્યાએ ખેતરમાં શિંગોડાની ખેતી કરી છે, જે તેમના માટે મોટી ઉપલબ્ધિ છે, આ પાકની ખેતી કરી તેઓ સારો નફો કમાઈ છે. 3) શિંગોડાના પ્રકાર- શિંગોડાના અનેક પ્રકાર હોય છે. જેમાં લાલ ચીકણી ગુલરી, લાલ ગઠુઆ, હરીરા ગઠુઆ જેવા પ્રકારની પહેલી ઉપજ વાવણીના 120-130 દિવસ બાદ થાય છે. જ્યારે કરિયા હરીરાની પહેલી ઉપજ વાવણીના કમ સે કમ 150 બાદ થાય છે. 4) ખેતરમાં કેવી રીતે ઉગાવશો શિંગોડા- ઉત્તરપ્રદેશના ખેડૂત સેઠપાલ સિંહે કહ્યું કે સૌથી પહેલા તેમણે પોતાના 1 એકર જમીન શિંગોડાની ખેતી માટે તૈયાર કરી. જેમાં ખેતરના ચારેકોર 2થી 3 ફુટની ઉંચાઈની પાર બનાવી અને તેમાં 1 ફુટની ઉંચાઈ સુધી પાણી ભર્યું. જૂન મહિનામાં શિંગોડાની વાવણી કરવામાં આવે છે. સાથે જ 2 છોડ વચ્ચે 2 મીટરની દૂરી રાખવી જરૂરી છે. 5) બજારમાં શિંગોડાની માગ- નવરાત્રિ શરૂ થતા જ શિંગોડાની માગ વધી જાય છે. વ્રતધારી શિંગોડાનું સેવન કરવાની સાથે તેના લોટથી બનતી અનેક વાનગીઓને આરોગવામાં આવે છે. શિંગોડામાં પ્રોટીન, શર્કરા, કેલ્શિયમ, ફોસફરસ, મેંગેનીઝ, પોટેશિયમ, વિટામીન-સી, ઝિંક, કોપર અને આયરનથી ભરપુર હોય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
6