AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ મકાઈમાં લાગેલ ડોડાને પક્ષીઓથી બચાવો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઉનાળુ મકાઈમાં લાગેલ ડોડાને પક્ષીઓથી બચાવો !
🐦 ચોમાસા કરતા ઉનાળુ મકાઇમાં પક્ષીઓ વધારે હેરાન કરતા હોય છે. 🌽 દુધિયા દાણા વખતે જ પક્ષીઓ નુકસાન કરતા હોવાથી તૈયાર થયેલ પાકનું ઉત્પાદન હાથથી સરી જતો હોય તેવો અનુભવ ખેડૂતોને થતો હોય છે. 🌽 પાકને પક્ષીઓથી બચાવવા ‘ચાડીયા’ નો ઉપયોગ કરો. 🐦 નાના નાના પથ્થરોને દુરથી ફેકી અથવા ફટાકડા ફોડી પક્ષીઓને ભગાડો. 🐦 પક્ષીઓને ભગાવવા માટે ખેતરમાં ચાડિયા ઉભા કરો. 🐦 પક્ષીઓ ખેતરમાં આવે નહીં તે માટે ખાસ પ્રકારની ચળકાટ મારતી રિબિન વાપરવી. 📀 વપરાયેલ સી.ડી. ખેતરમાં લટકાવવી. 🌽 આ બધાજ ઉપાયો દુધિયા દાણાની અવસ્થાએ જ કરવા એટલે કે દુધિયા દાણા બેસે ત્યારથી 10 થી 15 દિવસ માટે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
4