AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ બાજરીમાં ડૂંડા ઉપર ઇયળથી નુકસાન થાય છે કે તેમ જૂઓ?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ બાજરીમાં ડૂંડા ઉપર ઇયળથી નુકસાન થાય છે કે તેમ જૂઓ?
👉 ઉનાળુ બાજરી અત્યારે દુધિયા દાણાની અવસ્થાએ આપનો પાક હશે. 👉 આ સમયે લીલી ઇયળનો આક્રમણ થવાની પુરેપુરી શક્યતા રહેલી છે. 👉 આ અવસ્થાએ ઇયળ થુલી નીચે રહી દુધિયા દાણાને નુકસાન કરતી હોવાથી ઉત્પાદન ઉપર માઠી અસર પડતી હોય છે. 👉 પાક દુધિયા અવસ્થાએ હોવાથી દાણામાં દવાના અવશેષો ન રહે તે માટે કોઇ પણ રાસાયણિક દવાની ભલામણ કરેલ નથી. 👉 નુકસાન ઓછું કરવા માટે કોઇ પણ લીમડા આધારિત દવા (૦.૧૫ એક- ૧૫૦૦ પીપીએમ) ૪૦ મિલિ અથવા બીટી પાવડર ૧૫ ગ્રા અથવા ઇયળનું મળતું એનપીવી (વાયરસ આધારિત દવા) ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 આ ઇયળના ફેરોમોન ટ્રેપ્સ પણ ઉપલબ્ધ છે; વિઘે ૫-૧૦ ગોઠવવા. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
5
અન્ય લેખો