ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ઉનાળુ તલના પાકમાં પિયત વ્યવસ્થા
⭐ઉનાળુ સિઝન માં પાક માં યોગ્ય સમયે પિયત આપવું જરૂરી છે જો યોગ્ય સમયે પિયત આપવા માં ન આવે તો ઉપજ પર માંથી અસર પહોચતી હોય છે તો ચાલો જાણીએ તલના પાક માં પિયત વ્યવસ્થાપન વિશે!!
⭐ઉનાળુ તલને ૮ થી ૧૦ પિયત જમીનના પ્રત પ્રમાણે 8 થી 10 દિવસના અંતરે આપવાના થતા હોય છે. આમ છતાં પિયતની સંખ્યા અને બે પિયત વચ્ચેનો સમયગાળો જમીનના પ્રકાર/પ્રત અને સ્થાનિક હવામાન ઉપર આધાર રાખે છે.
⭐સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉનાળુ તલને 7 થી 9 પિયતની જરૂર પડે છે.
⭐પ્રથમ પિયત તલનું વાવેતર કર્યા બાદ છઠા દિવસે આપવું.
⭐બીજું પિયત પ્રથમ પિયત બાદ છઠા દિવસે આપવું. જેથી બીજ નો સારો ઉગાવો થાય છે.
⭐બાકીના 5 થી 7 પિયત જમીનના પ્રત પ્રમાણે 8 થી 10 દિવસના અંતરે આપવા.
⭐તલની કટોકટીની અવસ્થાઓ જેવી કે ફૂલ અવસ્થા અને બૈઢા બેસવાની અવસ્થાએ પિયત અવશ્ય આપવું.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ