AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ તલના પાકમાં પિયત વ્યવસ્થા
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ઉનાળુ તલના પાકમાં પિયત વ્યવસ્થા
⭐ઉનાળુ સિઝન માં પાક માં યોગ્ય સમયે પિયત આપવું જરૂરી છે જો યોગ્ય સમયે પિયત આપવા માં ન આવે તો ઉપજ પર માંથી અસર પહોચતી હોય છે તો ચાલો જાણીએ તલના પાક માં પિયત વ્યવસ્થાપન વિશે!! ⭐ઉનાળુ તલને ૮ થી ૧૦ પિયત જમીનના પ્રત પ્રમાણે 8 થી 10 દિવસના અંતરે આપવાના થતા હોય છે. આમ છતાં પિયતની સંખ્યા અને બે પિયત વચ્ચેનો સમયગાળો જમીનના પ્રકાર/પ્રત અને સ્થાનિક હવામાન ઉપર આધાર રાખે છે. ⭐સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉનાળુ તલને 7 થી 9 પિયતની જરૂર પડે છે. ⭐પ્રથમ પિયત તલનું વાવેતર કર્યા બાદ છઠા દિવસે આપવું. ⭐બીજું પિયત પ્રથમ પિયત બાદ છઠા દિવસે આપવું. જેથી બીજ નો સારો ઉગાવો થાય છે. ⭐બાકીના 5 થી 7 પિયત જમીનના પ્રત પ્રમાણે 8 થી 10 દિવસના અંતરે આપવા. ⭐તલની કટોકટીની અવસ્થાઓ જેવી કે ફૂલ અવસ્થા અને બૈઢા બેસવાની અવસ્થાએ પિયત અવશ્ય આપવું. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ
31
0
અન્ય લેખો