એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઉનાળુ ડાંગર મા ચુસીયા (હોપર્સ)
➡ અનૂકુળ વાતાવરણ મળતા ચુસીયાનો ઉપદ્રવ આવી શકે છે.
➡ ઉપદ્રવ દેખાય તો તરત જ ક્યારી માંથી પાણી નિતારી લેવું.
➡ જમીનમાં ફીપ્રોનીલ 0.3 જીઆર 20 થી 25 કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 0.5% + થાયામેથોક્ષામ 1% જીઆર 6 કિ.ગ્રા પ્રતિ હેક્ટરે દાણાદાર કીટનાશક દવાનો ઉપયોગ કરવાથી ચુસીયાનું પણ નિયંત્રણ થાય છે.
➡ જે ખેડૂતો છંટકાવ કરવા માંગતા હોય તેઓ ક્લોથીયાનીડીન 50 ડબલ્યુજી 5 મિ.લિ. અથવા ડાયનોટેફ્યુરાન 20 એસજી 4 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો.
➡ દવા છોડના થડ નજીક છંટાય તે ખાસ ધ્યાન રાખવું.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.