જૈવિક ખેતીવસુધા ઓર્ગેનિક
ઉત્તમ જૈવિક જીવાત નિયંત્રક
• આ જૈવિક જીવાત નિયંત્રણ ની સાથે સાથે રોગ નિયંત્રણ નું પણ કામ કરે છે.
• બનાવવાની પધ્ધતિ:
• ૨૫૦ ગ્રામ તીખા લીલા મરચાં, ૨૫૦ ગ્રામ લસણ, ૨૫૦ ગ્રામ ડુંગળી, ૨૫૦ ગ્રામ આદુ દરેક ને છાલ સાથે ચટણી બનાવવી.
• તૈયાર ચટણી ને નવશેકા પાણીમાં ઉમેરીને ૬ કલાક સુધી રાખો.
• ત્યારબાદ તૈયાર મિશ્રણ ને સુતરાઉ કાપડ ની મદદ થી ગાળી લો.
• તૈયાર થયેલ મિશ્રણ ને ૫૦૦ મિલી પ્રતિ ૧૬ લિટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો.
• આ છંટકાવ થી પાકમાં જોવા મળતા નાના અને મધ્યમ કદની ઇયળ,થ્રિપ્સ અને લાલ કથીરી માટે ખૂબ જ અસરકારક હોય છે.
• નોંધ: જો તમે પણ કોઈ જૈવિક નિયંત્રક કરો છોતો અમને કૃષિ ચર્ચા વિભાગમાં જણાવો.
સંદર્ભ: વસુધા ઓર્ગેનિક
આપેલ જૈવિક માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂતમિત્રો સાથે તેને શેર કરો.