AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ યોજના ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવશે
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
આ યોજના ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવશે
👨🏼‍🌾ખેતીમાં ટેકનોલોજીમાં ઉપયોગ વધી રહ્યો છે છતાં ખેડૂતો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમાંથી એક સમસ્યા પાકને થતા નુકસાનની છે. કમોસમી વરસાદ અને પાકમાં જીવાતના કારણે ખેડૂતોનો પાક બરબાદ થઈ જાય છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ તેમના પાકને આર્થિક નુકસાન ન વેઠવું પડે તે માટે સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરી છે. 👨🏼‍🌾ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે સરકારની આ યોજના દ્વારા ખેડૂતો તેમના પાકને સુરક્ષા આપી શકે છે. રવિ પાકના વાવેતરની શરૂઆત થઈ હોવાથી ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ, ખેડૂતો તેમના પાક પર આર્થિક સહાય આપવામાં આવે છે. ખેડૂતો તેમના પાકનો વીમો આપવામાં આવે છે. આ યોજના ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવે છે. 👨🏼‍🌾પાક નાશ પામે તો તેને વીમા કવચ જો કોઈ ખેડૂતનો પાક કોઈ કુદરતી આફતને કારણે નાશ પામે તો તેને વીમા કવચ આપવામાં આવે છે. આ યોજના હેઠળ વીમા પ્રીમિયમની રકમ ઘણી ઓછી હોય છે, જેથી નાના અને સિમાંત ખેડૂતો આ યોજનાનો સરળતાથી લાભ લઈ શકે. 👨🏼‍🌾કેવી રીતે મળશે યોજનાનો લાભ પાક વીમા યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ તેમની નજીકની બેંક શાખામાં જવું જોઈએ. આ ઉપરાંત તેઓ નજીકની CSC શાખાની પણ મુલાકાત લઈ શકે છે. આ યોજના ની વધુ માહિતી માટે અને ફોર્મ ભારવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની ઓફિશિયલ વેબસાઈટ https://pmfby.gov.in પર જાઓ. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
9
1
અન્ય લેખો