AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ અનોખું મશીન તાજા છાણ માંથી થોડા કલાકો માં બનાવશે ખાતર, જાણો તેની વિશેષતા !
કૃષિ વાર્તાAgrostar
આ અનોખું મશીન તાજા છાણ માંથી થોડા કલાકો માં બનાવશે ખાતર, જાણો તેની વિશેષતા !
ખેતીમાં છાણ ને ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તે ખેતરોમાં ખાતરનું કામ કરે છે. ઉત્તર પ્રદેશના બિજનોર માં ખેડૂતોના ખેતરોમાં તાજું છાણ કામ કરશે, કારણ કે એક ખેડૂતે ગાયના છાણમાંથી ખાતર બનાવવા માટે મશીન સ્થાપિત કર્યું છે. આ મશીન દ્વારા ખેડૂતોને તાજા છાણ માંથી ખાતર મળશે. આ રીતે, ખેડૂતોને પણ સજીવ ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ચાલો અમે તમને જણાવી દઈએ કે ખેતરોમાં તાજું છાણ નાખવાથી ઉધઈ નું જોખમ ઘટે છે. જમીન અને પાકની આવશ્યકતા અનુસાર, આ ખાતરમાં બેક્ટેરિયા ધરાવતા પોષક તત્વો ઉમેરવામાં આવે છે. આ મશીન બિજનોર ના સિકંદરી ગામમાં રહેતા ખેડૂત રાજીવસિંહે સ્થાપિત કર્યું છે. આની મદદથી ખેડુતો ગાયના છાણ ખાતરની જરૂરિયાત તુરંત પૂરી કરી શકે છે. વધશે ખેતર ની ફળદ્રુપતા રાસાયણિક ખાતરના ઉપયોગથી ખેતરોની ફળદ્રુપતા ઘટે છે, પરંતુ છાણીયુ ખાતર થી જમીનની ફળદ્રુપતા જાળવે છે. છાણ માંથી બનાવેલ ખાતર એ ખેડુતોના ખેતરો માટે સારું માનવામાં આવે છે, પરંતુ તે ખેડૂત પાસે દરેક સમય મળતો નથી, કેમ કે છાણ માંથી ખાતર બનાવવામાં લગભગ 3 થી 6 મહિનાનો સમય લાગે છે. જો ખાતર તૈયાર ન હોય તો ખેડૂત કાચા છાણને ખેતરમાં નાખે છે. આને કારણે ખેતરને ખાતરનો પૂરો લાભ મળતો નથી. આ સાથે, કાચું ખાતર ઉધઈ નો ખોરાક પણ બને છે. આને લીધે ખેતરમાં ઉધઈ લાગવાનો ડર રહે છે, જે પાક માટે ખૂબ નુકસાનકારક છે. આવી સ્થિતિમાં ખેડુતે આ મશીન બનાવીને મોટી સમસ્યા હલ કરી છે. થોડા જ કલાકો માં બનશે ખાતર આ મશીન થોડા કલાકોમાં છાણ માંથી ખાતર બનાવશે. આનાથી ખેડુતો ઓર્ગેનિક ખેતી કરી શકશે અને તાત્કાલિક તેમના ખેતરોમાં તરત જ તાજું ખાતર ભેળવી શકશે. જણાવીએ કે પાકની જરૂરિયાત અથવા પ્રકૃતિ અનુસાર પોષક તત્વો બેક્ટેરિયાથી બનાવવામાં આવે છે. ખેડુતોની આવકમાં થશે વધારો આ મશીન દ્વારા ખેડુતોને ઓર્ગેનિક ખેતીમાં જોડાવાની તક મળી રહી છે. આની સાથે, ખેતર માં તમામ પોષક તત્વો ની જરૂરિયાતો પૂરી કરી શકાય છે. આ રીતે ખેતી ખર્ચ ઘટશે, સાથે સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. સંદર્ભ : Agrostar, 22 ઓક્ટોબર, 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
122
0
અન્ય લેખો