સમાચારGSTV
આધારકાર્ડ ફ્રોડથી બચવું થયું સરળ, જાણો શું છે પ્રોસેસ !
👉 યુનિક આઇડેન્ટિફિકેશન અથોરીટી ઓફ ઇન્ડિયા એ આધાર કાર્ડ હોલ્ડરને કહ્યું છે કે તેઓ મોબાઈલ નંબર આધારમાં હંમેશા અપડેટ રાખે. જો મોબાઈલ નંબર અપડેટ ન હોય તો આધારથી થવા વાળા ફ્રોડની જાણકારી નહિ મળી શકે અને એની ફરિયાદ પણ આગળ નહિ કરી શકાય.
👉 UIDAIએ લોકોને કહ્યું કે, આધાર ઓનલાઇન સર્વિસ માટે કોઈ રજીસ્ટર્ડ નંબર હોવો જરૂરી છે, માટે જે પણ નંબર આધારમાં હોય તે અપડેટ હોવો જોઈએ. જો મોબાઈલ ખોવાઈ જવા પર નંબર બદલાઈ જાય છે તો એને તાત્કાલિક અપડેટ કરવું જોઈએ. જો આધારમાં કોઈ ફોન નંબર નથી આપ્યો તો નજીકના આધાર સેંટરમાં જઈ એડિટ જોઈએ.
આ રીતે જાણો મોબાઈલ લિંક છે કે નહીં ?
👉 સત્તાવાર વેબસાઇટ Uidai.gov.in ની મુલાકાત લો અથવા https://resident.uidai.gov.in/verify-email-mobile પર ક્લિક કરો.
👉 My Aadhaar પર ક્લિક કરો
👉 હવે Aadhaar Services ટેબ પર જાઓ અને Verify Email/Mobile Number પસંદ કરો
👉 અહીં તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો
👉 સંપર્ક વિગતોમાં, મોબાઇલ નંબર અને ઇમેઇલ વગેરે જેવી વિગતો આપો.
👉 હવે કેપ્ચા વેરિફિકેશન પૂર્ણ કરો
👉 હવે મોકલો OTP પર ક્લિક કરો
• તમારા મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી પર એક OTP આવશે. આ બતાવશે કે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આધારમાં નોંધાયેલ છે. જો આધારમાં મોબાઈલ નંબર અપડેટ ન હોય તો તમે કરી શકો છો. આધારમાં મોબાઇલ નંબર રજીસ્ટર કરવા અથવા અપડેટ કરવા માટે અરજદારે આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે.
• તમે UADAIના ટોલ ફ્રી નંબર 1947 પર ફોન કરીને આધારની અપડેટ થયેલી સ્થિતિ પણ ચકાસી શકો છો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : GSTV.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.