એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
આંબામાં ગોલ મીંજ જીવાતનું નિયંત્રણ !
🥭 માદા ભમરી પાનની અંદર ઇંડાં મૂંકે છે. ઇંડામાંથી નીકળતી ઇયળ પાનની અંદર રહી નુકસાન કરે છે. પાન ઉપર નાની નાની મસા જેવી ફોલ્લીઓ ઉપસી આવે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન કોકડાઇ જઇ ખરી પડતા હોય છે. આ જીવાતનો ઉપદ્રવ એન્થ્રેકનોઝ રોગને વધવામાં પ્રોત્સાહન આપે છે. વધુ ઉપદ્રવ હોય તો મોનોક્રોટોફોસ ૩૬ ડબલ્યુએસ ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.