ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આંબાનો મેઢ !
આંબાના મેઢથી થડ અને ડાળી સુકાઈ જાય છે . જે આંબાના આ જીવાતનો ઉપદ્રવ હોય તે આંબાની નીચે તાજો વહેર જોવા મળે છે . તેવી ડાળી કે થડની છાલ કાઢીને મેઢનો નાશ કરવો . મેઢ થડ કે ડાળીમાં ઉંડે ઉતરી ગયો હોય તો કાણાંમાં લાંબો સળીયો નાખી મેઢનો નાશ કરવો અથવા ડીડીવીપી ૭ મિ.લી. ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરી ઈજેકશન દ્વારા કાણાંમાં રેડી ભીની માટીથી બંધ કરવાથી મેઢ નાશ પામશે .
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.