ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
આંબાના પાકમાં મધીયા નું કરો સચોટ નિયંત્રણ!
🥭આંબાવાડીમાં વધુમાં વધુ નુકસાન કરતી જીવાત છે.
🥭તેના બચ્ચાં અને પુખ્ત કીટકો આંબામાં મોર ફૂટવાની શરૂઆત થાય ત્યારે મોરની ડાળીઓ અને ફૂલોમાંથી રસ ચૂસે છે.
🥭ઉપદ્રવિત ફૂલો ચીમળાઈને ખરી પડે છે. જેનાથી ઉત્પાદન ઉપર અસર પડે છે.
🥭આ કીટક પોતાના શરીરમાંથી મધ જેવા ચીકણા પદાર્થનું ઝરણ કરે છે તે પાન પર પડતાં તેના પર કાળી ફૂગ ઉગી નીકળે છે.
🥭આ ફૂગના કારણે પ્રકાશસંશ્લેષણની ક્રિયા અવરોધાય છે.
🥭કૂમળા ભાગમાં નુકશાન થવાથી ફૂલો અને નાના ફળો ખરી પડે છે.
🥭ચોમાસાની ઋતુમાં પુખ્ત કીટકો સુષુપ્તાવસ્થામાં થડની છાલની તિરાડોમાં સંતાઈ રહે છે.
🥭આ કીટક પાણી ભરાઈ રહેતું હોય તેવા આંબાવાડીયામાં વધુ જોવા મળે છે.
🥭આ કીટક જો ઉપદ્રવ વધુ નુકસાન હોય તો તેના સચોટ નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ 17.8 % SL 50 મિલિ અથવા ક્રુઝર (થાયોમેથોકઝામ 25% WG )દવા ને 40 ગ્રામ અથવા મેડ્રિડ (એસીટામીપ્રીડ 20 SP ) 100 ગ્રામ પ્રતિ 200 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..