AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અરે વાહ ! હવે કરો સરકારના પૈસે ધંધો, રૂપિયા અઢી લાખ સુધીની સહાય !
યોજના અને સબસીડીસંદેશ
અરે વાહ ! હવે કરો સરકારના પૈસે ધંધો, રૂપિયા અઢી લાખ સુધીની સહાય !
👉 દેશભરમાં હાલ બેરોજગારી એ મોટી સમસ્યા છે. દિવસે દિવસે બેરોજગારી વધતી જાય છે. તો જાણો આજે સરકારની એક યોજના વિશે. જે યોજના અંતર્ગત તમે સરકારના પૈસા ઉપર જ ધંધો કરી શકો છો. પાછલા છ મહિનામાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો થી દવાઓનું વેચાણ 60% વધ્યું છે. 👉 જન ઔષધિ કેન્દ્રથી દવાઓ પર ભારે છુટ મળી જ છે સાથે લોકોને રોજગાર પણ. જો તમે પણ શહેરમાં જન ઔષધિ કેન્દ્ર ખોલવા માંગતા હો તો એકદમ સરળ છે. જન ઔષધિ કેન્દ્ર ખોલવાની પ્રોસેસ સરળ છે અને આને ઘરે બેઠા ઓનલાઈન પણ કરી શકો છો. આ યોજનાનું પુરૂ નામ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પ્રોજેક્ટ છે. મોદી સરકારની પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજના એક યોજના છે જે અંતર્ગત માત્ર રોજગાર જ નહીં, પણ દર્દીઓને પણ બજાર દરથી ઘણી સસ્તી દવાઓ મળે છે. 👉 જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં બહુ ખર્ચ થતો નથી, જે કંઈ પણ થાય છે, સરકાર ધીમે ધીમે તે તમને પાછું આપે છે. આ સિવાય દર મહિને તમને સારૂ એવું કમિશન મળે છે. જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં સરકાર 2.5 લાખ રૂપિયા સુધીની સહાય કરે છે. જન ઔષધિ કેન્દ્ર દવાઓના વેચાણથી 20 ટકા સુધીનો નફો મેળવે છે. આ ઉપરાંત દર મહિનાના વેચાણ પર 15 ટકાનું ઈન્ટેન્સિવ મળે છે જો કે પ્રોત્સાહનની મહત્તમ મર્યાદા દર મહિને 10,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. 👉 2.5 લાખ રૂપિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રોત્સાહન મળશે. સેન્ટર શરૂ કરતાં પહેલાં તમારે પહેલા 1 લાખ રૂપિયાની દવાઓ ખરીદવી પડશે. બાદમાં સરકાર તેની રિએમ્બર્સમેન્ટ કરશે. આ સિવાય સરકાર તમને દુકાન શરૂ કરવા, રૈક, ડેસ્ક વગેરે બનાવવા અને ફ્રીઝ ખરીદવામાં 1 લાખ રૂપિયા સુધીની સહાય કરશે. 👉 કેન્દ્ર ખોલવા માટે કમ્પ્યુટર્સ વગેરેના સેટઅપ ઉપર 50 હજાર રૂપિયા સુધીના ખર્ચ પર પણ સરકાર આ નાણા રિટર્ન આપશે. જન ઔષધિ કેન્દ્ર માટે રિટેલ ડ્રગનું વેચાણ જન ઔષધિ કેન્દ્રના નામથી લાયસન્સ લેવું પડશે. તેને ખોલવા માટે તમારી પાસે 120 વર્ગ ફૂટની દુકાન હોવી આવશ્યક છે. આ માટે ફોર્મ અહીંથી ડાઉનલોડ કરી શકાય છે. https://janaushadhi.gov.in/ ફોર્મ ડાઉનલોડ કર્યા પછી, તમારે બ્યુરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર ના નામે એપ્લિકેશન મોકલવાની રહેશે. 👉 કોણ ખોલી શકે આ કેન્દ્રો ? 👉 કોઈ પણ વ્યક્તિ 👉 બેરોજગાર ફાર્માસિસ્ટ 👉 ડોક્ટર 👉 રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર 👉બીજી કેટેગરી હેઠળ ટ્રસ્ટ, એનજીઓ, પ્રાઈવેટ હોસ્પિટલ, સોસાયટી અને સેલ્ફે ગ્રુપ જનઔષધિ કેન્દ્ર ખોલી શકે છે. 👉ત્રીજી કેટેગરીમાં રાજ્ય સરકારો તરફથી નોમિનેટ એજન્સી જનઔષધિ કેન્દ્ર ખોલી શકે છે. 👉 આ ઉપરાંત વધુ માહિતી જાણવા માટે આ વિડીયો https://youtu.be/knxMUDhNpDg જુઓ અને જો તમે ઇચ્છુક છો તો ઓનલાઇન માટે આપેલ લિંક પર http://janaushadhi.gov.in/online_registration.aspx ક્લિક કરો. 👉 સંદર્ભ : સંદેશ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
41
14
અન્ય લેખો