AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સૌર ઉર્જાના ઉત્પાદનમાં વધારો અને ખેતી ખર્ચમાં ઘટાડો
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
સૌર ઉર્જાના ઉત્પાદનમાં વધારો અને ખેતી ખર્ચમાં ઘટાડો
👉પ્રધાનમંત્રી કુસુમ યોજનાના વિવિધ વિભાગો - રાજ્યના ખેડૂતો માટે ઘણી યોજના અમલી બનાવેલ છે. ગુજરાતના ખેડૂતોને યોજનાઓનો લાભ આપવા માટે આઈ-ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેમાં ઘણી બધી યોજનાઓના ઓનાલાઈન ફોર્મ ભરાય છે. પી.એમ કુસુમ યોજના અલગ-અલગ વિભાગો પાડવામાં આવેલા છે. જે નીચે મુજબ છે. 👉પ્રધાનમંત્રી કુસુમ યોજના -A ● ખેડૂતો પોતાની બિનઉપજાઉ જમીન ઉપર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરી શકે છે. તેમાં વધુ કમાણી કરી શકે છે. ● આ વિભાગ હેઠળ, ખેડૂતો ૨૫ વર્ષ સુધી સૌરઊર્જા ઉત્પન્ન કરીને વીજ વિતરણ કંપનીને વેચવાની સુવિધા આપવામાં આવે છે. 👉પીએમ કુસુમ યોજના પાર્ટ - B આ વિભાગ હેઠળ ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે, ડીઝલને બદલે સોલાર પંપ સ્થાપિત કરવા કહ્યું છે. ● ખેતીવાડી વીજ કનેકશન ન હોય ત્યાં Solar Pump લગાવવા માટે સુવિધા પૂરી પાડવામાં આવે છે. ● ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના ૬૦% સુધીની સબસીડી આપવામાં આવે છે. ● આ સબસીડી ૭૫ હો.પા. સુધી મર્યાદામાં આપવામાં આવે છે. ● આ વિભાગમાં વન વિસ્તારના ખેડૂતો માટે GERC ના ધોરણો મુજબ, માત્ર ફીકસ્ડ કોસ્ટ મુજબનો ફાળો ભરપાઈ કરવાનો રહેશે. ● કૃષિ વીજ જોડાણ માટેની આદિજાતિ (TASP) યોજનાના અરજદારોને કોઈ ફાળો ભરપાઈ કરવાનો રહેશે નહીં. 👉પીએમ કુસુમ યોજના- સી :- ખેડૂતો માટેની આ યોજનામાં પીએમ કુસુમ યોજના-C વિભાગ છે. આ વિભાગમાં બે પેટા વિભાગ છે. ● એક વિભાગમાં વ્યક્તિગત સ્તરે પંપ સોલરાઈઝેશન માટેની છે. ● જેમાં હયાત ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના ૬૦% સુધી સબસીડી આપવામાં આવશે. ● જે ૭૫ હો.પા. સુધી મર્યાદિત રહેશે. ● ૨૫ વર્ષ સુધી સ્વ-વપરાશ પછી, વધારાની સોલાર ઉર્જા વીજ વિતરણ કંપનીને વેચી વધારાની આવક મેળવી શકાશે. ● ફીડર લેવસ સોલરાઈઝેશન આ બીજો પેટા વિભાગ છે. ● દિવસ દરમિયાન ખેડૂત ભાઈઓને ખેતી કામ માટે પૂરતો વીજપુરવઠો આપવામાં આવે છે. ● સસ્તી અને ગ્રીન એનર્જીથી ખેતરોમાં હરિયાળી આવશે, જેથી ખેડૂતોમાં ખુશહાલી આવશે. 👉પ્રધાનમંત્રી કુસુમ યોજના ૨૦૨૨ હેઠળ ખેડૂતોને લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે. ● લાભાર્થી ખેડૂતનું આધારકાર્ડ ● બેંક ખાતાની પાસબુક ● જમીનની 7/12 ની નકલ ● જમીનની 8-અ ની નકલ ● Declaration Form 👉પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતો સૌર ઊર્જા ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન પર સોલાર પેનલ લગાવવા માટે ફક્ત ૧૦ ટકા રકમ ભરવાની રહેશે. રાજ્ય સરકારો અને ભારત સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ૬૦ % સુધી સબસીડીની રકમ આપે છે. જેમાં કેન્દ્ર અને રાજ્યો તરફથી સમાન યોગદાન આપવાની શરત સામેલ છે. વધુમાં, બેંક તરફથી ૩૦ ટકા ફી લોનની જોગવાઈ છે. આ લોનને ખેડૂતો તેમની આવકમાંથી સરળતાથી ભરી શકે છે. 👉કુસુમ યોજના માટે નોંધણી - ભારત દેશમાં ઘણા રાજ્યમાં પાણીની ખૂબ તંગી હોય છે. જેથી ઉનાળામાં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ પણ ઉભી થાય છે. જેના કારણે ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ કુસુમ યોજના શરૂ કરેલી છે. ● આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને મફત વીજળી આપવાનો છે. ● કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતીમાં સિંચાઈ કરવા માટે, સોલાર પેનલની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ● આ યોજના હેઠળ ખેડૂતોને ડબલ લાભ થશે અને પોતાની આવકમાં નોંધપાત્ર વધારો થશે. ● ખેડૂતો દ્વારા વધુ વીજળી ઉત્પાદન થશે તો તેને વીજ કંપનીઓના ગ્રીડમાં મોકલવામાં આવશે. ● કેન્દ્ર સરકારની કુસુમ યોજના વિશે વધુ માહિતી માટે https://mnre.gov.in/ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. 👉પીએમ કુસુમ હેલ્પલાઇન નંબર - આ યોજનાની વધુ માહિતી માટે નજીકની વીજ વિતરણ કરતી કંપનીની ઓફિસ ખાતે રૂબરૂ મુલાકાત લઈને મદદ મેળવી શકો છો. તેમ છતાં નીચેની હેલ્પલાઈન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. * અધિકૃત વેબસાઈટ :-https://mnre.gov.in/ * હેલ્પ લાઈન નંબર :- ૧૮૦૦૧૮૦૩૩૩૩ સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
43
12
અન્ય લેખો