એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઉગતા ભીંડા ના પાન કોકડાય છે? જાણો યોગ્ય દવા ની માહિતી !
🍃 ખેડૂતોએ ઉનાળુ ભીંડાની વાવાણી કરી દીધી હશે અને છોડ બે-ચાર પાંદડે પણ પહોંચી ગયો હશે.
🍃 આ સમયે જો તડતડિયા કે જે ખેડૂતો આને લીલી પોપટી તરીકે ઓળખે તેના ઉપદ્રવને લીધે પાન કોકડાઇ જતા હોય છે. કાળજી રાખવામાં ન આવે તો છેવટે પાન બરડ થઈ ખરી પડતા હોય છે.
🍃 ઉપદ્રવની શરુઆત દેખાય તો તરત જ ડાયનોટેફ્યુરાન 20 એસજી 4 ગ્રામ અથવા ફ્લોનિકામીડ 50 ડબલ્યુજી 4 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો.
🍃 આ સમયે છોડ નાના અને કુંમળા હોવાથી ભૂલેચૂકે પણ વધારે દવાનું પ્રમાણ પડી ન જાય તેનું ધ્યાન અવશ્ય રાખશો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.