AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂત ને વીઘા દીઠ થઇ ₹ 1 લાખની કમાણી!
વાયરલ જુગાડ એગ્રોસ્ટાર
ખેડૂત ને વીઘા દીઠ થઇ ₹ 1 લાખની કમાણી!
🥭 ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તણસા ગામે રહેતા બ્રીજરાજસિંહ ગોહિલ ખેતી તેમજ પશુપાલનના મુખ્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ 2018 થી પોતાના પશુપાલનના વ્યવસાયમાં ગૌશાળા બનાવી છે, ગૌશાળાની ગાયના ગૌમૂત્ર, ગોબર તેમજ જંગલમાં ઉગતી વનસ્પતિઓનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવ્યો છે, આ ખેડૂતે પ્રાકૃતિક વિધિ અપનાવી 4 વર્ષમાં સંપૂર્ણ ખેતીને રસાયણ મુક્ત કરી છે, તેમણે પોતાની વાડીમા અલગ અલગ વિભાગો બનાવી અલગ અલગ ફેઝમાં કેસર કેરીના આંબાનું વાવેતર કર્યું છે. 🥭 પ્રથમ તેઓ નર્સરીમાં પ્રાકૃતિક પદ્ધતિથી આંબાના રોપા તૈયાર કરે છે, જેમાં તેઓ ગાય આધારિત જીવામૃત તૈયાર કરી ડ્રિપ પદ્ધતિનો ઉપયોગ કરી જમીનમાં ઉતારે છે અને ત્યાર બાદ તબક્કાવાર છોડ અને ઝાડ ને જીવામૃત નો સ્પ્રે કરી માવજત કરે છે, તણસા ના આ ખેડૂત ની વાડીના રોગ મુક્ત આંબાઓમાં કેસર કેરીનો ભરપૂર ફાલ લહેરાઈ રહ્યો છે. એક-એક આંબા પર આશરે 4 થી 5 મણ કેરીનો ઉતારો વર્તાઇ રહ્યો છે.એટલે આશરે તેઓ એક વીઘા વાવેતર દીઠ 1 લાખ સુધીની કમાણી કરી રહ્યા છે. પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલી કેરી વેચવા તેઓને બજાર સુધી પણ જવાનો વારો આવતો નથી.ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટનો તેઓ ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. 🥭 વડાપ્રધાન અને ગુજરાતના રાજ્યપાલ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સાથે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાય એ માટે આહવાન પણ કરી રહ્યા છે. તેમજ પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થતી ખેત પેદાશોને વેચવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ થાય એ માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે,જેના ફળ સ્વરૂપે હાલ ભાવનગર જિલ્લામાં 2 હજાર કરતાં વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થતી ખેતી તરફ વળ્યા છે તેમજ રાસાયણિક ખાતરને તિલાંજલિ આપી જીવામૃત થકી ઓછા ખર્ચે વધુ આવક મેળવી સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
13
4