AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે સસ્તા ખાતરો ખરીદવા માટે મળશે ઈ-વાઉચર !
કૃષિ વાર્તાTV 9 ગુજરાતી
હવે સસ્તા ખાતરો ખરીદવા માટે મળશે ઈ-વાઉચર !
કેન્દ્ર સરકાર ખેડૂતો માટે સૌથી પહેલા ઈ-વાઉચરનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં આ ઈ-વાઉચર્સ ખેડૂતોને ખાતરની ખરીદી માટે આપવામાં આવશે. યોજનાના અમલીકરણ માટે સહકારી અને કૃષિ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. ટૂંક સમયમાં સરકાર ખેડૂતોને સબસિડીની રકમના ડિજિટલ વાઉચર આપશે. ખાસ વાત એ છે કે આ વાઉચર લણણીની સિઝન શરૂ થાય તે પહેલા ખેડૂતો માટે ઉપલબ્ધ કરવામાં આવશે. વાઉચરનો ઉપયોગ કરીને, સરકાર એ પણ જાણશે કે જે ખેડૂત ખાતર ખરીદી રહ્યો છે તે વાસ્તવિક ખેડૂત છે કે નહીં. આ સાથે સમિતિઓના ખાતા પણ સરકારની દેખરેખ હેઠળ રહેશે. ખાતરની કાળાબજારી અટકાવવા અને વાસ્તવિક ખેડૂતને સબસિડીનો લાભ આપવાના હેતુથી આ યોજના આગામી દિવસોમાં અસરકારક સાબિત થઈ શકે છે. મળતી માહિતી મુજબ ખેડૂતને તેના મોબાઈલ પર ઈ-વાઉચર ઉપલબ્ધ કરાવાશે. જ્યારે તે ખાતર ખરીદવા જાય છે, ત્યારે આ વાઉચર સ્કેન કર્યા બાદ જ તે ખાતર મેળવી શકશે. વાઉચર સ્કેન થતાં જ માહિતી આવશે કે ખેડૂતને કેટલું ખાતર આપી શકાય છે. કોઈ પણ લાભાર્થી આ વાઉચર અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકશે નહીં. વર્ષોથી ખાતર વિતરણમાં થતી ગેરરીતિઓ રોકવા માટે સરકાર દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે પણ જાણવા મળ્યું હતું કે યુરિયાના વિતરણમાં મોટા પાયે ગેરરીતિ જોવા મળી હતી. જે બાદ તેને રોકવા માટે અનેક પ્રકારના ઉપાયોની ચર્ચા કરવામાં આવી રહી હતી. આ સંબંધમાં, સહકારી અને કૃષિ વિભાગો અલગ અલગ દરખાસ્તો પર કામ કરી રહ્યા હતા. હવે ઈ-વાઉચર યોજના દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવાનો પ્રયાસ રહેશે. હવે જોવું એ રહ્યું કે આ નવી પધ્ધતિ ક્યારે અને કેટલા સમય માં ચાલુ થશે અને ખેડૂતો ને ફાયદો કરશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : TV 9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
84
10