એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઈમાં પુંછડે ચાર ટપકા વાળી ઈયળની ઓળખ અને નિયંત્રણ !
જે ખેડૂતોએ ચોમાસાની મકાઇની વાવણી મોડી કરી હોય તેવા ખેતરમાં આ ઇયળનો હુમળો પાક ઉપર થઇ શકે છે. ઇયળ છોડની ભૂંગળીમાં રહીને નુકસાન કરતી હોવાથી છોડ સુકાઇને મરી જતો હોય છે. મકાઇની ભૂંગળીમાં ચપટી ચપટી રેતી કે ખેતરની માટી નાંખી દેવાથી ઇયળથી થતા નુકસાનમાં થોડી રાહત જરુર મળતી હોય છે. ઉપદ્રવ વધારે દેખાતો હોય તો ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૯.૩% + લેમબ્ડા સાયહેલોથ્રિન ૪.૬% ઝેડસી ૩ મિલિ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. છોડની ભૂંગળીમાં પણ દવા જાય તે ખાસ જોવું.
વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.