એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બટાકામાં મોલો કરી ના દે ભારે નુકશાન !
🥔 શિયાળાની ઋતુમાં જો ૩-૪ દિવસ વાદળછાયું વાતાવરણ રહે અને તાપમાન સામાન્ય કરતા થોડુ પણ વધારે રહે તો🥔 આ જીવાતનો ઉપદ્રવ આવી શકે છે.
🥔લીલા રંગની મોલો કુમળા પાન ઉપર રહી રસ ચૂંસતી હોય છે.
🥔વધુ મોલો બટાટાના પાકમાં આવતા વિવિધ જાતના વિષાણૂજન્ય રોગોના વાહક હોવાથી આ જીવાતની કાળજી રાખવી જરુરી બને છે.
🥔 ઉપદ્રવ જણાય તો થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી 10 ગ્રામ અથવા ડાયમેથોએટ ૩૦ ઇસી દવા 30 મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.