એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દિવેલા વાવેતર માટે નો ઉત્તમ સમય !
સામાન્ય રીતે દિવેલાની વાવણી જુલાઈ થી ઓગસ્ટ માસ ના મધ્ય સુધીમાં કરવામાં આવે છે. ઓગસ્ટ માસમાં વાવણી કરવાથી પાકમાં નુકશાન કરતી ઘોડીયા ઈયળ તથા ડોડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવની સમસ્યા ઓછી આવે છે . બિનપિયત દિવેલાની વાવણી ચોમાસામાં વાવણી લાયક વરસાદ થાય કે તુરંત જ કરી દેવી. મોડી વાવણી કરવાથી ઉત્પાદન ઘટે છે. મોડી વાવણી માટે ભલામણ કરેલ યોગ્ય જાતની પસંદગી કરવી. પિયત વિસ્તાર માટે ૧૫ જુલાઈ થી ૧૫ ઓગસ્ટ સુધીમાં વાવણી કરવામાં આવે તો પણ ઉત્પાદનમાં આર્થિક તફાવત પડતો નથી અને પાકને ધોડીયા ઈયળનાં નુકશાનથી થોડા ઘણા અંશે બચાવી શકાય છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.