AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દિવેલામાં ધોડિયા ઈયળ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
દિવેલામાં ધોડિયા ઈયળ
🐛દિવેલામાં અત્યારે પાકમાં જોવા મળતો પ્રશ્ન એટલે ધોડિયા ઈયળ જે ચાલે ત્યારે ઘોડી બનાવીને ચાલતી હોવાથી તે “ઘોડિયા ઇયળ” તરીકે ઓળખવામાં આવે છે. આ ઇયળનો ઉપદ્રવ સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમ્યાન સવિશેષ રહેતો હોય છે. નાની ઈયળો પાનને કોરે પરંતુ મોટી ઈયળો પાનની નસો સિવાયનો બધો જ લીલો ભાગ ખાઈને છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. ઇયળ ખૂબ જ ખાઉધરી હોવાથી ક્યારેક દિવેલાની માળ અને ડોડવાને પણ કોરી ખાય છે. આ ઇયળનું પુખ્ત કિટક લિમ્બુ વર્ગના ફળનો રસ ચૂસીને નુકસાન કરે છે. 🐛ઉપાય શું? - ઓગષ્ટના પ્રથમ પખવાડીયા કરેલ વાવણીમાં ઘોડિયા ઈયળનો ઉપદ્રવ ઓછો રહેશે. - પાન ખાનાર ઇયળની ફૂદી જથ્થામાં પાનની નીચે ઈંડા મૂકતી હોય છે, આવા દેખાતા ઈંડાના સમૂહ અને - પ્રથમ અવસ્થાની ઇયળોનાં સમૂહને પાન સહીત તોડી નાશ કરવા. - પુખ્ત ફૂદીંઓને આકર્ષવા માટે ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવવા. 🐛આ ઇયળોનાં અસરકારક નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ %એસસી ૪ મિલિ અથવા ઇન્ડોક્ષાકાર્બ ૧૪.૫ %એસસી ૧૦ મિલિ અથવા એમામેક્ટીન બેંઝોએટ ૫ %ડબલ્યુજી ૬ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે ઉપદ્રવ શરુ થયા પછી બે વાર ૧૫ દિવસના આંતરે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
3
અન્ય લેખો