AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટામેટાના પાકમાં ફળ કોરી ખાનાર ઇયળ છે તો છાંટો દવા!
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ટામેટાના પાકમાં ફળ કોરી ખાનાર ઇયળ છે તો છાંટો દવા!
🐛 આ પાકમાં આ એક જ ઇયળ આવે છે અને તેનાથી મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. 🐛 પ્લાસ્ટિક મલ્ચીંગનો ઉપયોગ કરીને ખેતી કરી હોય તો આનો ઉપદ્રવ સરવાળે ઓછો રહે છે. 🐛 ટામેટીના ખેતરની નજીક જો ભીંડાનું ખેતર હોય તો ઉપદ્રવ વધારે રહેશે. 🐛 વિણી વખતે નુકસાન થયેલ ફળ અગલ તારવી લઈ તેમનો વ્યવસ્થિત નિકાલ કરવો. 🐛 દરેક વિણી વખતે ઉપદ્રવ વધતો જણાય તો ફ્લુબેન્ડીયામાઇડ ૨૦ ડબલ્યુજી ૮ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રિન ૫ ઇસી દવા ૮ મિલિ અથવા થાયોમેથોક્ષામ ૧૨.૬૦% + લેમબ્ડા સાયહેલોથ્રિન ૯.૫૦% ઝેડસી ૮ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. દરેક છંટકાવ વખતે દવા બદલવી. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
2
અન્ય લેખો