AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જમીન સરકાર હસ્તક ગઈ હોય તો કેવી રીતે પરત મેળવવી શકાય?
મહેસૂલ વિભાગએગ્રોસ્ટાર
જમીન સરકાર હસ્તક ગઈ હોય તો કેવી રીતે પરત મેળવવી શકાય?
📢 મહેસુલ ભરવામાં ચૂક કરે તો તેવા સંજોગોમાં પણ સરકાર તેવી જમીન ખાલસા કરી શકે છે. જમીનના હકદાર કે કબજેદાર તરીકે હંમેશા એક પ્રકારની સતર્કતા અને ચોકસાઇ રાખવાની જરૂર હોય છે. વખતો વખત તેની અધિકૃત એન્ટ્રીઓને ચકાસતા રહેવું પડે છે. તમારા હક્ક-હિતને જોખમમાં મૂકતી હોય એવી કોઈ બાબત તેમાં અકસ્માતે કે ઈરાદાપુર્વક દાખલ તો નથી થઈ ગઈને તેની તકેદારી રાખવાની હોય છે. ઘણીવાર તમારી જમીનના રેકર્ડમાં સરકારનું નામ આવી જતું હોય છે. 📢 ઘણી વખત જમીનના મૂળ માલિકની જાણ કે અજાણતા અથવા તો કોઈ હુકમના શરત ભંગ બદલ પણ જમીનમાં સરકાર દાખલ થાય છે.જમીન મહેસુલ ધારાની કલમ-37 ની જોગવાઈ અનુસાર જમીન પરત માગવા અને ખાનગી માલિકીની ઠરાવવા માટેની કાર્યવાહી સરકાર વિરૂદ્ધ કરી શકે છે. 📢 જ્યાં સુધી તેવી વ્યક્તિ સરકાર દાખલ કરેલી જમીનમાં પોતાનો હક્ક સાબિત કરતી નથી. ત્યાં સુધી તેવી જમીન સરકારની ગણવામાં આવે છે. લેન્ડ રેવન્યુ કોડ કલમ 37(૧)માં સરકારી જમીનનો નિકાલ કરવાનો અધિકાર કલેકટરને અપાયેલો છે. ભાડા પટ્ટે અપાયેલી જમીન પર વિવિધ સંજોગોમાં સરકારનો હક્ક દાખલ થતો હોય છે, તેમજ કલમ 60-62 માં પણ જમીનના નિકાલની સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવેલ છે. કલમ 68માં સરકાર તરફથી જમીન એક સાલ કે લાંબા ગાળાના પટ્ટે (૯૯ વર્ષના ભાડાપટ્ટે) આપવાનો પણ અધિકાર છે. તે પરત્વે જમીન જેને અપાય તેને માલિકી હક્ક મળતો નથી, પરંતુ તેનો કબજો ઠરાવવાનો અને નક્કી કરેલો ઉપયોગ કરવાનો હક્ક મળે છે. 📢 ઘણી વખત કબજેદાર વ્યક્તિ મહેસુલ ભરવામાં ચૂક કરે તો તેવા સંજોગોમાં પણ સરકાર તેવી જમીન ખાલસા કરી શકે છે. આથી કોઈ પણ ખાતા હસ્તકની જમીન હંગામી કે કાયમી નિકાલ કરવાનો હોય તો કલેક્ટરે મહેસુલ વિભાગ, રાજ્ય સરકારની મંજૂરીથી જ આપી શકાય છે. તેવી જમીનમાં ત્રાહિત વ્યક્તિનો કાયદેસરનો હક્ક હોય તો કલેકટરે નક્કી કરેલા હુકમથી તે ચાલ્યો જતો નથી. 📢 સરકાર જમીનના નિકાલ માટે ત્રણ પદ્ધતિઓ છે (૧) હરાજીથી, (૨) ઉચ્ચક કિંમત ઠરાવી અને (૩) વગર કિંમતે (મહેસૂલ માફીથી) જયારે કોઇ પણ જમીન પરત્વેના હક્કો સંબંધમાં સરકાર, મ્યુનિસિપાલિટી કે કોર્પોરેશન વચ્ચે તકરાર હોય ત્યારે કલેકટર તેવી તકરારોનો નિર્ણય કરવા પ્રયત્ન કરશે. 📢 જમીન મહેસુલ કાયદાની કલમ 37(2) મહત્વની જોગવાઈ છે, કોઈ પણ વ્યક્તિ કે જે જૂના રેકર્ડ ઉપર અગાઉના માલિક હોય અથવા તેમના પૂર્વજ જમીન ખેડતા હોય તેવા કોઈ પણ પ્રકારના પુરાવા રેવન્યુ રેકર્ડ ઉપર ઉપલબ્ધ હોય તો તેને આધારે તેવી જમીન સરકાર પાસેથી પરત મેળવવા માટે જરૂરી અરજી કરી શકાય છે. ➡ વધુ માહિતી આવતા અંકમાં....! સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
41
16
અન્ય લેખો