AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાSafar Agri Ki
ખેડૂતોને થઈ શકે છે મુશ્કેલી, ખાતરની થઇ શકે છે અછત !
ગાંધીનગર ખાતે આજે મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન થયું હતું. આજની કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિની સાથે ખાતરની અછત મુદ્દે પણ ચર્ચા થઈ હતી. રાજ્યમાં હાલ પાયાના ખાતરની અછત ઊભી થઈ છે. રાજ્ય સરકારની ખાતર કંપનીઓએ ઉત્પાદન બંધ કરતાં આ અછત ઊભી થઈ છે. મે માસનો ખાતરનો જથ્થો રાજ્ય સરકારને ઉપલબ્ધ થયો નથી તેથી રાજ્ય કૃષિ વિભાગે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. 1 લાખ મેટ્રિક ટન ખાતર તાત્કાલિક ગુજરાતને ફાળવવા રજૂઆત કરવામાં આવી છે. મે માસના પાયાના ખાતરનો જથ્થો જૂના નક્કી કરાયેલા ભાવે આપવા રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત ખાતરના ભાવ વધારા મુદ્દે પણ ચર્ચા થઈ હતી અને સરકાર હસ્તકની ખાતર કંપનીઓને તાત્કાલિક ઉત્પાદન શરૂ કરવા સુચના આપવામાં આવી છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
28
4