એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ પાકો તૈયાર થયે જો જો ઉંદર નુકસાન ન કરી જાય !
👉 ડાંગર, મગફળી, જૂવાર, બાજરી, શાકભાજી જેવા પાકો તૈયાર થયા હોય અને જો ખેતરમાં ઉંદરોનું પ્રમાણ વધુ હોય તો પાકેલ દાણાને નુકસાન પહોંચાડતા હોય છે.
👉 તેમના અસરકારક નિયંત્રણ માટે પ્રથમ તો ખેતરમાં જીવતા દર શોધી કાઢવા.
👉 સાંજે દેખાતા બધા જ દર ઉપર માટી વાળી દેવી અને સવારે જે દર ખૂલ્લા થયા હોય તેવા દરને જીવતા દર કહેવાય.
👉 આવા જીવતા દરમાં મળતી ઉંદરનાશક દવા બ્રોમેડિયોલોન ૦.૦૦૫% ના બિસ્કીટ (વેક્ષ કેક) ૧૦ ગ્રામ પ્રમાણે મૂંકવી. આ દવાનો ઉપયોગ કોઇ પણ જાતના દાણા કે લોટ ઉમેર્યા વગર કરવાનો છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.